287: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૨૮૭ - પ્રભુ પિતા ઉપર ભરોસો == {| |+૨૮૭ - પ્રભુ પિતા ઉપર ભરોસો |- | |સુલીય છં..." |
(No difference)
|
Revision as of 11:58, 8 August 2013
૨૮૭ - પ્રભુ પિતા ઉપર ભરોસો
| સુલીય છંદ | |
| કર્તા: જે. વી. એસ. ટેલર. | |
| ૧ | પિતા તણે પરાક્રમે પ્રસંગ સર્વ છે ઠરેલ; |
| રહીશ માટ જીવતો પિતા થકી સદા ધરેલ. | |
| કદી વિપત્તિ જો પડે, થશે કદા અનર્થ નાશ, | |
| ન થાય બીક તે થકી, ન ઉરમાં થશે નિરાશ.. | |
| ૨ | વિનંતી નિત્ય આ કરું, ધરી સદાય નમ્ર ભાવ, |
| થનાર સર્વ વાતમાં નિરાંત તું પિતા, કરાવ; | |
| વિના વિલંભ શીખતાં ઠરાવના ખરા જ ભેદ, | |
| સદાય સિદ્ધ હું રહું, ધરી પિતા તણો નિષેધ. | |
| ૩ | ફરી કરીશ પ્રાર્થના, પડી પિતા તણે સુપાય; |
| વિનંતી નમ્ર ભાવની તજેલ તો કદી ન થાય; | |
| દયાળુ તું પિતા, મને સુશકિત રોજ કાજ આપ, | |
| બધાંય કામકાજમાં રહે સદા અમીપ, બાપ. | |
| ૪ | દિને દિને દયા કરી, નિભાવતાં મને ચલાવ, |
| મને સદા સુધારતાં, સુભક્ત સેવના કરાવ; | |
| અધર્મને દબાવતાં ખરી કરી સમસ્ત ચાલ, | |
| પવિત્રતા કરાવતાં સુખી કરાવ સર્વકાળ. |