394: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૩૯૪ - સંતોનો શૃઁગાર == {| |+૩૯૪ - સંતોનો શૃઁગાર |- |૧ |પ્રીતે પ્રભુને સેવ..." |
(No difference)
|
Revision as of 06:33, 3 August 2013
૩૯૪ - સંતોનો શૃઁગાર
| ૧ | પ્રીતે પ્રભુને સેવવો, સંતોને શોભતું એ છે; |
| અને વળી રાખવો તે પર પ્યાર, સંતોને શોભતું એ છે. | |
| ૨ | વહાણું વાતાં નિત ઊઠવું, સંતોને શોભતું એ છે; |
| અને વળી ધરવું ઈશ્વર ધ્યાન, સંતોને શોભતું એ છે. | |
| ૩ | નીતિથી કામ કરવું ઈશ્વરમાન, સંતોને શોભતું એ છે; |
| અને વળી કરવું ઈશ્વરમાન, સંતોને શોભતું એ છે. | |
| ૪ | પોતાને પવિત્ર રાખવા, સંતોને શોભતું એ છે; |
| અને વળી ભૂંડાનો કરવો ધિક્કાર, સંતોને શોભતું એ છે. | |
| ૫ | ચાહવું ભલું સહુ લોકનું, સંતોને શોભતું એ છે; |
| અને વળી સુખદુ:ખે લેવો ભાગ, સંતોને શોભતું એ છે. | |
| ૬ | મીઠા બોલો નિત ભાખવા, સંતોને શોભતું એ છે; |
| અને વળી ગાળોના કરવો ત્યાગ, સંતોને શોભતું એ છે. | |
| ૭ | આંખો નિર્મળ રાખવી, સંતોને શોભતું એ છે; |
| અને વળી ભૂંડામાં લેવો ન ભાગ, સંતોને શોભતું એ છે. | |
| ૮ | પરનિંદામાં ન રાચવું, સંતોને શોભતું એ છે; |
| અને વળી લોભને દેવો ન માગ, સંતોને શોભતું એ છે. | |
| ૯ | બીજાની વસ્તુ ના ચોરવી, સંતોને શોભતું એ છે; |
| અને વળી રહેવું સંતોષી સદાય, સંતોને શોભતું એ છે. | |
| ૧૦ | દુરજનનો સંગ ત્યાગવો, સંતોને શોભતું એ છે; |
| અને વળી સતસંગે રે'વું સદાય, સંતોને શોભતું એ છે. | |
| ૧૧ | ઝઘડાથી બાર ગાઉ નાસવું, સંતોને શોભતું એ છે; |
| અને વળી રહેવું ક્ષમાવાન, સંતોને શોભતું એ છે. |