286
૨૮૬ - ભરોસો
| ભુંજગી | |
| કર્તા: થોમાભાઈ | |
| પાથાભાઈ | |
| ૧ | ભરોસો સદા દેવનો રાખનારા, અને સત્યના ધોરને ચાલનાર; |
| સદા દેવ તો તેમની સાથ રહે છે, અને તેમની રોજ સંભાળ લે છે. | |
| ૨ | કદી સંતને દ્વેષકો જો સતાવે, ધરે ઢાલ સારી યહોવા બચાવે; |
| હશે દ્વેષકો સંતથી જો વધારે, યહોવા નક્કી ત્યાં બચાવા પધારે. | |
| ૩ | ઘણા સંત સારા ગયા બંધનોમાં, ઘણા સંત સારા પડયા રુદનોમાં; |
| જઈ દેવ ત્યાં સંતના બંધ છોડયા જઈ દેવ ત્યાં સંતનાં દુળ્ખ તોડયાં. | |
| ૪ | હતા તે બધા સંત બહુ પ્રાર્થવાદી, યહોવા હતો સંત સાથે અનાદિ; |
| ભરોસો યહોવા તણો જે કરે છે, યહોવા થકી સંત સંતે તરે છે. |