224
૨૨૪ - શાસ્ત્રથી જ્ઞાન
| મહીદીપ વૃત્ત | |
| (ગીતશાસ્ત્ર ૧૯:૭-૧૧) | |
| કર્તા: | જે. વી. એસ. ટેલર |
| ૧ | પ્રભુ તણું જ શાસ્ત્ર પૂર્ણ ચિત્ત ફેરવે છે; |
| પ્રભુ તણી જ શાખ, મૂર્ખ જ્ઞાન લે છે. | |
| ૨ | પ્રભુ તણા જ નેમ શુદ્ધ, હ્રદય હર્ષ જાણે; |
| પ્રભુ નિષેધ ચોખ સર્વ, ચક ઉજાળ માને. | |
| ૩ | પ્રભુ તણી જ બીક વિમળ, સર્વકાળ ચાલે; |
| પ્રભુ તણો જ ન્યાય સત્ય, અચૂક સર્વ કાળે. | |
| ૪ | સ્વર્ણથી મહા મનાય, શુદ્ધ સ્વર્ણ કરતાં; |
| મધ થકી મનાય મિષ્ટ, કોશ સાથ ધરતાં. | |
| ૫ | તે થકી વળી સુબોધ દાસ નિત્ય પામે; |
| ફળ ઘણાં ફળે સદાય, લાવતાં સુકામે. |