216
૨૧૬ - પવિત્રાત્માને આમંત્રણ
| (એકત્રીસા અવૈયા) | |
| કર્તા: | કા. મા. રત્નગ્રાહી |
| ટેક: | મનની અંદર કરવા મંદર આવો, હું શુદ્ધાત્મા નાથ; |
| આદર ભાવે ને ઉલ્લાસે બહુ સન્માને જોડું હાથ. | |
| ૧ | હેતે હૈયું ઓપું મારું, આવો, નાથ, બિરાજો ઉર; |
| અડચણકારક, ખેદજનક સૌ, એવું મેલું કરજો દૂર. મનની. | |
| ૨ | જો હૈયું પાષાણ તણું તો નમ્ર કરીને કરજો વાસ; |
| અંધારાથી હોય ભરેલું તો દેજો સ્વર્ગી પ્રકાશ. મનની. | |
| ૩ | દુર્ગુણ ને સહુ પાપો મારાં તમ તેજે એ સૌ ગભરાય; |
| જેમ રાત્રીનાં વનચર પ્રાણી અજવાળું જોઈ છૂપી જાય. મનની. | |
| ૪ | બક્ષિસો તમ સાથે લઈને આવી આપો આશીર્વાદ; |
| સત્તા પાપ તણી ઉખેડી મુજમાં ગાદી સ્થાપો, નાથ. મનની. | |
| ૫ | ત્રાતાનાં વચનો સંભારી માગું તેને નામે આજ; |
| મુજ અંતર આત્મામાં નિશદિન રહેજો તમ સુખદાયક રાજ. મનની. |