264: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Created page with "== ૨૬૪ - સુવાર્તા પ્રચારાર્યે == {| |+૨૬૪ - સુવાર્તા પ્રચારાર્યે |- | |મહીદી..."
(No difference)

Revision as of 10:19, 8 August 2013

૨૬૪ - સુવાર્તા પ્રચારાર્યે

૨૬૪ - સુવાર્તા પ્રચારાર્યે
મહીદીપની ઢબ
કર્તા: આર. પી. ક્રિસ્ટી
વિભુ, અમો સિધાવીએ સુવાર્તા પ્રસારવા,
ધો પ્રકાશ આપનો , ઉમંદને વધારવા. વિભુ.
રોગ, દુ:ખ ટાળવા, સંતાપને સંહરવા,
ખ્રિસ્ત કેરું મિષ્ટ નામ લોકમાં પ્રચારવા. વિભુ.
ત્રાણદાન આપવા ને પાપ, શાપ કાપવા,
ઈસુ કેરી દિવ્ય શાંતિ ઘેર ઘેર સ્થાપવા. વિભુ.
વ્હેમ જાતજાતના ને ભૂત ભાતભાતના,
તેમને નસાડવાને દો તમારો આત્મા. વિભુ.
તિમિર કેરા રાજ્યમાં રોશની ફેલાવવા,
સત્ય કેરા ધર્મ વિષે વૃત્તિઓ વિકસાવવા. વિભુ.
ખ્રિસ્ત શ્રેષ્ટ નામ છે વ્યોમ ને આ ભોમમાં,
એ જ વાત ભાખશું નિત્ય પૂર્ણ જોમમાં. વિભુ.