470: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૪૭૦ - પસ્તાવો અને માફી == {| |+૪૭૦ - પસ્તાવો અને માફી |- | |છંદ : સવૈયા એકત્ર..." |
(No difference)
|
Revision as of 13:03, 5 August 2013
૪૭૦ - પસ્તાવો અને માફી
| છંદ : સવૈયા એકત્રીસા | |
| કર્તા: સુરેન્દ્ર આસ્થાવાદી | |
| ૧ | શા માટે શ્રમ વ્યર્થ કરો છો ? કેમ ઉઠાવો, પાપી, બોજ ? |
| ખ્રિસ્ત ઈસુની પાસે આવો, વિશ્રાંતિ મળશે દરરોજ. | |
| પાપી જનનાં પાપ ટળે ને, થાક્યા જન આરામ, | |
| બંદીજનને મુક્તિ દેવા, ખ્રિસ્તે ત્યાગ્યું સ્વર્ગી ધામ. | |
| ૨ | પતિતજનોનાં પાપ હઠાવા, દુ:ખ સહીને પામ્યા મોત, |
| જીવન દેવા રક્ત વહવ્યું, પ્રગટી તેથી જીવન-જ્યોત. | |
| " શરણ ગ્રહી લો ખ્રિસ્ત ઈસુનું પાપો, બોજા કરશે દૂર, | |
| તિમિર તમારું ફેડી દઈને જીવનનું ચમકાવે નૂર." | |
| ૩ | વચને, કર્મે ને વિચારે, સર્વ મનુષ્યે કીધાં પાપ; |
| વિશ્વાસુ થઈ ખ્રિસ્ત ઈસુમાં પસ્તાવાથી ટળશે શ્રાપ. | |
| દિલડાંનું પરિવર્તન કરશો તો તો હૈયાં થાશે સાફ; | |
| વિશ્વાસુ ને પ્રેમી પ્રભુજી, પાપ તમારાં કરશે માફ. |