234: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) Created page with "==૨૩૪ - ત્રાણ કોણથી મળે?== {| |+૨૩૪ - ત્રાણ કોણથી મળે? |- | |માદરી |- |કર્તા: |થોમ..." |
(No difference)
|
Revision as of 23:33, 4 August 2013
૨૩૪ - ત્રાણ કોણથી મળે?
| માદરી | |
| કર્તા: | થોમાભાઈ પાથાભાઈ |
| ૧ | ત્રાણ કોણથી મળે? |
| પાપ, શાપ હું તણાં બધાંય કોણથી બળે? | |
| શાંતિ કોણથી વળે ? પાપ કોણથી ટળે? | |
| મોત કાળ સ્વર્ગમાં પ્રવેશ કોણથી મળે? | |
| ૨ | ત્રાણ ખ્રિસ્તથી મળે, |
| પાપ, શાપ તું તણાં બધાંય ખ્રિસ્તથી ટળે; | |
| શાંતિ જીવને વળે, પાપ વેદના ટલે, | |
| મોત ઘાટ વીતતાં પ્રવેશ સ્વર્ગમાં મળે. | |
| ૩ | ખ્રિસ્ત ભાવ રાખજે, |
| દુષ્ટ ભાવ, દુષ્ટ દાવ, નિત્ય દૂર નાખજે; | |
| ખ્રિસ્ત માન તાકજે, ખ્રિસ્ત વાત ભાખજે, | |
| તો જ ખ્રિસ્ત તારશે, અનંત લાભ ચાખજે. |