167: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Rrishujain (talk | contribs)
Created page with "==૧૬૭ - જીવનદાતાને રટો== {| |+૧૬૭ - જીવનદાતાને રટો |- | |યમન કલ્યાણ |- |કર્તા: |..."
(No difference)

Revision as of 12:01, 31 July 2013

૧૬૭ - જીવનદાતાને રટો

૧૬૭ - જીવનદાતાને રટો
યમન કલ્યાણ
કર્તા: કા. મા. રત્નગ્રાહી
ટેક: રટ રટ રટ તું, જીવનદાતા;
તજ હઠ ઝટપટ, ભજ ઝટ ત્રાતા.
આ ભવરાન મહીં નહીં મળશે, તુજને તે વિણ શાતા. રટ.
ક્ષણભંગુર અહીંનાં સહુ વાનાં, લોભાશો નહિ ભ્રાતા. રટ.
બહુ જન આયુષ્ય વ્યર્થ ગુમાવી, મરણ શરણ થઈ જાતા. રટ.
નહીં ખોશો સુખ જે ટકનારું તૃષ્ણા માંય તણાતાં. રટ.
કાયા આ વણસી ઝટ જાશે, નહીં રે'શે રંગ રાતા. રટ.
મહા બળિયા, વીર રૂપાળા, મૃત્યુ પામી જો જાત. રટ.
આયુષ્યને કર કિંમતવાળું, સ્વર્ગી સુખ કમાતાં. રટ.
ગાળ આનંદી જીવન તારું, નિત નિત પ્રભુ ગુણ ગાતાં. રટ.