98

From Bhajan Sangrah
Revision as of 22:02, 28 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૯૮ - ગેથસેમાને બાગમાંનું હ્રદયદ્રાવક દ્રશ્ય== {| |+૯૮ - ગેથસેમાને બાગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૯૮ - ગેથસેમાને બાગમાંનું હ્રદયદ્રાવક દ્રશ્ય

૯૮ - ગેથસેમાને બાગમાંનું હ્રદયદ્રાવક દ્રશ્ય
રાગ : ભૈરવી
કર્તા : આર. કે. પાન્થ
આસપાસ ભલી વૃક્ષલતા જ્યાં, ખ્રિસ્ત ગુરુવર ધ્યાન ધરે,
જેનું મન ઈશ્વરમાં મ્હાલે, જે મનવાંછિત પૂર્ણ કરે;
એવા સ્થાન વિશે માનવને, નૌતમ મીઠપ બોધ મળે,
વૃથા ગયાં જીવન તે નરનાં, જેનાં હ્રદયો ના પલળે !
જ્યાં પરિશ્રમથી સ્વેદ રક્તનાં, વહી શ્વે પુલકે પુલકે,
જ્યાંથી પૂર્ણી પરાક્રમ પામે, સંતો અમી શાં અણખૂટયે;
શોણિતની એ ઝરતી ધારે, આશિષવૃષ્ટિ મળે મળે !
વૃથા ગયાં જીવન તે નરનાં, જેનાં હ્રદયો ના પલળે !
સ્વર્ગભુવનનો રાજ વિધાયક, હ્યાં કંઈ કંઉ ઉર કષ્ટ કરે,
જેને ના કંઈ ખોટ કશાની, તે દીન મુખે દ્રવે અરે !
અનાદિ, અનંત, અમર, અધિષ્ઠાતા, પરાંગ થઈ પ્રભુતા પરહરે!
વૃથા ગયાં જીવન તે નરનાં, જેનાં હ્રદયો ના પલળે !
"જાગૃત હો ઓ બાન્ધવ મારા ! અ છેલ્લી પળના ત્યજશો,"
"નિદ્રાથી શત્રુદળ સ્હામે, સ્થિર કદાના રહી શકશો;"
"દિવ્ય પિતાને સ્મરજો વ્હાલા ! તેનો આશરો પળે પળે,"
"વૃથા ગુમાવી અણમૂલી પળ, રડશોના જઈ સ્થળે સ્થળે!"