470

From Bhajan Sangrah
Revision as of 02:03, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૪૭૦ - પસ્તાવો અને માફી == {| |+૪૭૦ - પસ્તાવો અને માફી |- | |છંદ : સવૈયા એકત્ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૭૦ - પસ્તાવો અને માફી

૪૭૦ - પસ્તાવો અને માફી
છંદ : સવૈયા એકત્રીસા
કર્તા: સુરેન્દ્ર આસ્થાવાદી
શા માટે શ્રમ વ્યર્થ કરો છો ? કેમ ઉઠાવો, પાપી, બોજ ?
ખ્રિસ્ત ઈસુની પાસે આવો, વિશ્રાંતિ મળશે દરરોજ.
પાપી જનનાં પાપ ટળે ને, થાક્યા જન આરામ,
બંદીજનને મુક્તિ દેવા, ખ્રિસ્તે ત્યાગ્યું સ્વર્ગી ધામ.
પતિતજનોનાં પાપ હઠાવા, દુ:ખ સહીને પામ્યા મોત,
જીવન દેવા રક્ત વહવ્યું, પ્રગટી તેથી જીવન-જ્યોત.
" શરણ ગ્રહી લો ખ્રિસ્ત ઈસુનું પાપો, બોજા કરશે દૂર,
તિમિર તમારું ફેડી દઈને જીવનનું ચમકાવે નૂર."
વચને, કર્મે ને વિચારે, સર્વ મનુષ્યે કીધાં પાપ;
વિશ્વાસુ થઈ ખ્રિસ્ત ઈસુમાં પસ્તાવાથી ટળશે શ્રાપ.
દિલડાંનું પરિવર્તન કરશો તો તો હૈયાં થાશે સાફ;
વિશ્વાસુ ને પ્રેમી પ્રભુજી, પાપ તમારાં કરશે માફ.