457

From Bhajan Sangrah
Revision as of 23:59, 5 August 2013 by 117.198.166.174 (talk) (Created page with "== ૪૫૭ - ભક્તિઘરનું અર્પણ (પ્રાર્થના) == {| |+૪૫૭ - ભક્તિઘરનું અર્પણ (પ્રા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૫૭ - ભક્તિઘરનું અર્પણ (પ્રાર્થના)

૪૫૭ - ભક્તિઘરનું અર્પણ (પ્રાર્થના)
શિખરિણી
કર્તા: સિમોનભાઈ ગણેશભાઈ
અમે બાળો સંધાં નમન મનથી આજ કરતાં,
અહીં આવ્યાં આજે તમ સદનમાં પાય પડતાં;
પિતા છો પ્રેમી ને નિજ શિશુ તણી ખોજ કરતા,
હરી પાપો, શાપો, સતત સુખના ભોર ભરતા-
મળે માફી માટે ચરણ ધરવા કાંઈ જ નથી,
અમારાં કામો કે અબળ તનમાં કૈં બળ નથી;
જડાયો થંભે તે અનુશય વિના ના વળ નથી,
જિવાડો ત્રાતાજી અમ અધમમાં જીવન નથી.
તમે આપ્યાં છે જે નિશદિન બધાં દાન વરવાં,
અને બાંધી અપ્યું ઘર સરસ આ ભક્તિ કરવા;
તમે આપ્યું તે સૌ તન, મન, બધું પાય ધરિયે,
પિતાજી સ્વીકારો તવ સ્તુતિ તણાં ગાન કરિયે.
રિબાતાં હૈયાંના જખમ દ્રવતા તે રૂઝવવા,
દબેલા આત્માને ભયરહિત ને મુક્ત કરવા;
વહાલા સ્વામી તેં જળ, વચન ને રુધિર થકી,
કલિશિયા સ્થાપી છે પતિત જનનું તારણ ચહી.
હવે તો થંભેથી વિરલ જળનું સ્નાન ધરજો,
પવિત્રાત્મા રેડી હ્રદય શુચિતા રોજ કરજો;
વસી વાસો સાથે નવ સરજને પ્રાણ પૂરજો,
અને સત્યાત્માથી ભજન કરવા ભાવ ભરજો.
વળી વિશ્વાસીનાં દુ:ખ, દરદ, ને શાપ હરતો,
અને સૌ આત્માના વિમલ પથમાં તેજ ભરતો;
જગે સાક્ષી દેવા વચન વદતાં સાથ ધરતો,
પિતાજી દેજો એ અચળ અમને પ્રેમ ઝરતો.