|
૮ સ્વરો
|
|
કર્તા : જોન મોરીસન, ૧૭૫૦-૯૮
|
|
અનુ. : આર. ગિલેસ્પી અને જે. વી. એસ. ટેલર
|
|
૧
|
ખ્રિસ્તે કરી પાપ નિવારણ પાપીઓને દીધું તારણ;
|
|
મોતને જીતી જીવતો થયો, મહા પ્રતાપે સ્વર્ગે ગયો.
|
|
૨
|
પ્રેમ અનુપમ તેણે કીધો, પાપનો બોજો માથે લીધો;
|
|
ભક્તો, માનો તેનું મરણ, ભોજને સહુ રાખો સ્મરણ.
|
|
૩
|
ખ્રિસ્તે કહ્યું, "પાછો આવીશ, સહુ મૂએલાંને ઉઠાડીશ;
|
|
ત્યાં લગ મારું સ્મરણ કરો ને ભરોસે આશા ધરો."
|
|
૪
|
ખાન ને પાન એ પ્રેમ બતાવે, મારું પૂરું કામ જણાવે;
|
|
ખાતાં પીતાં ભાવ વધારો, જણો મેં કર્યો ઉગારો.
|
|
૫
|
જીવનકાળે જીવન ઝાલો, સ્વર્ગને માર્ગે પગલાં વાળો;
|
|
પાપ ને મોતને હું મટાડું, પુણયદાને જીવ પમાડું.
|