446

From Bhajan Sangrah
Revision as of 13:43, 5 August 2013 by 117.203.87.121 (talk) (Created page with "== ૪૪૬ - પ્રભુભોજન == {| |+૪૪૬ - પ્રભુભોજન |- | |૮ સ્વરો |- | |કર્તા : જોન મોરીસન, ૧...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૪૬ - પ્રભુભોજન

૪૪૬ - પ્રભુભોજન
૮ સ્વરો
કર્તા : જોન મોરીસન, ૧૭૫૦-૯૮
અનુ. : આર. ગિલેસ્પી અને જે. વી. એસ. ટેલર
ખ્રિસ્તે કરી પાપ નિવારણ પાપીઓને દીધું તારણ;
મોતને જીતી જીવતો થયો, મહા પ્રતાપે સ્વર્ગે ગયો.
પ્રેમ અનુપમ તેણે કીધો, પાપનો બોજો માથે લીધો;
ભક્તો, માનો તેનું મરણ, ભોજને સહુ રાખો સ્મરણ.
ખ્રિસ્તે કહ્યું, "પાછો આવીશ, સહુ મૂએલાંને ઉઠાડીશ;
ત્યાં લગ મારું સ્મરણ કરો ને ભરોસે આશા ધરો."
ખાન ને પાન એ પ્રેમ બતાવે, મારું પૂરું કામ જણાવે;
ખાતાં પીતાં ભાવ વધારો, જણો મેં કર્યો ઉગારો.
જીવનકાળે જીવન ઝાલો, સ્વર્ગને માર્ગે પગલાં વાળો;
પાપ ને મોતને હું મટાડું, પુણયદાને જીવ પમાડું.