444

From Bhajan Sangrah
Revision as of 13:20, 5 August 2013 by 117.203.87.121 (talk) (Created page with "== ૪૪૪ - પ્રભુભોજન == {| |+૪૪૪ - પ્રભુભોજન |- | |૮ સ્વરો |- | |કર્તા : જે. વી. એસ. ટે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૪૪ - પ્રભુભોજન

૪૪૪ - પ્રભુભોજન
૮ સ્વરો
કર્તા : જે. વી. એસ. ટેલર
મારા પ્રેમને મનમાં આણી તમે પાળો બે નિશાણી :
જે જે વારે એકઠા થાઓ, દ્રાક્ષારસ પીઓ, રોટલી ખાઓ.
જ્યારે તમે ભેળા આવો, મારે સ્મરણે રોટલી ખાઓ;
મારી પૂરી પ્રીતિ જાણો, ને ઉદ્ધારનો આભાર માનો.
રોટલી જાણો શરીર મારું, ભંગિત જે તમારે સારુ;
ભાંગી ખાતાં સહુ સંભારો, પાપથી એકલો હું તારનારો.
મારું અંગ કેમ ભાંગી ગયું, કેમ તે મોતને આધીન થયું;
કેમ મેં પાપને વાસ્તે સહ્યું, કેમ તમારું તારણ થયું.
પ્યાલો પીઓ, વિચાર આણી, કે શા સારુ એ નિશાણી;
દ્રાક્ષારસ પેઠે હું રેડાઉં, મારું રક્ત હું તેમ વહેવડાવું.
મારા રક્તથી પાપ ધોવાય છે, ન્યાયનાં માગણાં સહુ વળાય છે;
સજા વગર પાપ ન છૂટે, દેવનો બંદોબસ્ત ન તૂટે.
તમ પર દયા મેં કીધી છે, પાપની સજા મેં લીધી છે;
મરણ સ્તંભ પર રક્ત જેમ વહેશે, તેમ માફીનું મૂલ્ય દેશે.
દ્રાક્ષારસથી મુજ રક્ત સંભારો, આ નિશાની એમ સહુ ધારો;
મારું રક્ત જે પ્રેમે આપ્યું, તેણે જ જગને તારણ આપ્યું.