૪૩૫ - લગ્નવાદીઓને આશીર્વાદ

૪૩૫ - લગ્નવાદીઓને આશીર્વાદ
ઉપજાતિ
અનુ. : મહિજી હીરાલાલ અને ડબ્લ્યુ. જે. હાન્ના
ઓ પ્રેમના દેવ ! સમક્ષ તારી,
પવિત્ર આ લગ્નવિધિ થનારી;
તો યાચીએ સૌ નમીને સહાય,
તેઓ તુંમાં પ્રેમથી એક થાય.
આનંદના દિવસ હોય જ્યારે,
ને માર્ગ સે'લો ઉજળોય જ્યારે;
ત્યારે શ્રદ્ધાએ પળતાં સદાય,
તેઓ તુંમાં પ્રેમથી એક થાય.
તોફાન વેળા વળી કૈંક આવે,
ને સર્વ વાનાં અવળાં જ લાવે;
તોયે શ્રદ્ધાએ વધતાં જ જાય,
તેઓ તુંમાં પ્રેમથી એક થાય.
અનંત ઓ પ્રેમ ! તું સાથ રે'જે,
ને તેમને તારી સુઓથ દેજે;
કે મૃત્યુમાંયે ન જુદાં પડાય,
એવાં તુંમાં પ્રેમથી એક થાય.