385

From Bhajan Sangrah
Revision as of 18:55, 3 August 2013 by 117.198.161.240 (talk) (Created page with "== ૩૮૫ - કોણ ખ્રિસતને યૂઠે જાય == {| |+૩૮૫ - કોણ ખ્રિસતને યૂઠે જાય |- |૧ |દેવપ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૮૫ - કોણ ખ્રિસતને યૂઠે જાય

૩૮૫ - કોણ ખ્રિસતને યૂઠે જાય
દેવપુત્ર યુદ્ધે ચાલીને રાજમુગટ લેવા
રક્તવર્ણી ધ્વજા ફરકે દૂર: કોણ તેની પૂઠે જાય?
જે દરદ પર જય પામીને દુ:ખપ્યાલો લે મુખમાંય;
જે ધૈર્ય રાખી ઊંચકે સ્તંભ તે તેની પૂઠે જાય.
મરણની પેલી પાર જઈ પહોંચી સાક્ષીની આંખ;
પ્રભુની નભમાં જોઈને સહાયની મારી હાંક;
થઈ પ્રભુ જેવો ક્ષમાવાન, સહી વેદના મોટ લગ કાય,
શત્રુને માટે માગે માફ : કોણ તેની પૂઠે જાય ?
એક ગૌરવી મંડળ નીવડેલ, જે પર આત્મા આવ્યો,
તે મંડળે જાણી નિજ આશ, મોત-સ્તંભને તુચ્છકાર્યો;
ક્રૂર ભૂપની તેજી તરવાર, ને કેસરી સિંહ પાસ લેવાય,
નમાવ્યું શિર મોત ભોગવવા : કોણ તેની પૂઠે જાય ?
નર, નારી, બાળો, બાળિકા, એક મોટા સેનમાં વાસ,
શ્વેત વસ્ત્ર પહેરી હરખે છે ત્રાતાના આસન પાસ;
જે માર્ગ ઊંચો સ્વરનો છે તે શ્રમ, પીડામાં થઈ જાય;
હે પ્રભુ, સહુ પર કૃપા કર કે તે ઓ પૂઠે જાય.