341

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૩૪૧ - વિશ્વાસયુકત ઠરાવ

૩૪૧ - વિશ્વાસયુકત ઠરાવ
આવો, ઈસુ, જગના રાજા, ભાવ કરીને મન આપું;
અતપથની જે રૂડી રીતો અંતર લઈ તે સહુ સ્થાપું.
સેવા કરતાં સંધું ત્યાગું, કશું ન રાખું મુજ કાજે;
સતપથ જીવન તુંમાં જાણી સેવ કરું હું મન સાજે.
ઘટ ભીતરથી ખટપટ ટાળું, સેવા સાચી મન ધારું;
ઈસુ દેખી શીશ નમાવું, હર્ખે અર્પું તન મારું.
શુદ્ધ ભક્તિ આભૂષણ જાણી શાંતિ ધરું બહુ મન મારે;
સહન કરીને સહુનું સાંખું, પ્રભુ બાળક છું જગ ધારે.
સહુ સંગે સત પ્રેમે ચાલું, પિતા તણું હું મન રાખું;
કે તે સાચો પૂર્ણ દયાળુ, હું પણ તેના ગુણ ભાખું.
દાસો, આવી ઈસુ પાસે લેજો રૂડું મન માગી;
જગમાં તેનું માન વધારો, તે તમને દે નહિ ત્યાગી.