334

From Bhajan Sangrah
Revision as of 03:34, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૧ – પ્રભુનું સ્તોત્ર == {| |+૩૩૪ - મનનું અર્પણ |- |૧ |રુદિયે રે'જે રે, ત્રા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧ – પ્રભુનું સ્તોત્ર

૩૩૪ - મનનું અર્પણ
રુદિયે રે'જે રે, ત્રાતા, વાસ કરી ત્યાં શાંતિદાતા;
મન અર્પું છું રે મારું, પ્રભુ, હું મન અર્પું મારું,
તું કરજે મંદિરિયું તારું, કરીને વાસો તેમાં રે',
અમોને આશોષ સારી દે. રુદિયે.
મનડું ચોખ્ખું રે કરજે, મુજમાં સદ્ગુણો તું ભરજે;
મેલું મનડું રે મારું, મેલું મન આ તો મારું;
થશે નહિ તુજ વણ એ સારું, જશે સહુ ડાઘાઓ ત્યારે
પ્રભુ, તું રક્તે ધો જ્યારે. રુદિયે.
મન છે પ્યાસી રે જગનું, રૂપ ધરે કો વરે ઠગનું;
કરુણા કરજે રે, સ્વામી, પ્રભુજી, કરણા તું કરજે,
અમારી નિર્બળતા હરજે, બચાવી લેજે તું, સ્વામી;
કહું છું મસ્તક હું નામી. રુદિયે.
શેતાન શત્રુ રે તેનો, ભક્ષ ચહે છે નિશદિન એનો;
કિલ્લો થાજે રે મારો, પ્રભુજી, કિલ્લો થા મારો;
પ્રભુ, હું સેવક છું તારો, શરણ આવ્યો છું હું તારે,
તું રે'જે નિશદિન મન મારે. રુદિયે.