286

From Bhajan Sangrah
Revision as of 00:56, 9 August 2013 by 117.198.171.5 (talk) (Created page with "== ૨૮૬ - ભરોસો == {| |+૨૮૬ - ભરોસો |- | |ભુંજગી |- | |કર્તા: થોમાભાઈ |- | |પાથાભાઈ |- | |- ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૮૬ - ભરોસો

૨૮૬ - ભરોસો
ભુંજગી
કર્તા: થોમાભાઈ
પાથાભાઈ
ભરોસો સદા દેવનો રાખનારા, અને સત્યના ધોરને ચાલનાર;
સદા દેવ તો તેમની સાથ રહે છે, અને તેમની રોજ સંભાળ લે છે.
કદી સંતને દ્વેષકો જો સતાવે, ધરે ઢાલ સારી યહોવા બચાવે;
હશે દ્વેષકો સંતથી જો વધારે, યહોવા નક્કી ત્યાં બચાવા પધારે.
ઘણા સંત સારા ગયા બંધનોમાં, ઘણા સંત સારા પડયા રુદનોમાં;
જઈ દેવ ત્યાં સંતના બંધ છોડયા જઈ દેવ ત્યાં સંતનાં દુળ્ખ તોડયાં.
હતા તે બધા સંત બહુ પ્રાર્થવાદી, યહોવા હતો સંત સાથે અનાદિ;
ભરોસો યહોવા તણો જે કરે છે, યહોવા થકી સંત સંતે તરે છે.