285: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૨૮૫ - તારનાર પર ભરોસો == {| |+૨૮૫ - તારનાર પર ભરોસો |- | |સવૈયા સત્તાવીસા |- | ...")
(No difference)

Revision as of 00:54, 9 August 2013

૨૮૫ - તારનાર પર ભરોસો

૨૮૫ - તારનાર પર ભરોસો
સવૈયા સત્તાવીસા
"I lay my sins on Jesus"
કે શરણાગત
કર્તા: જે. વી. એસ. ટેલર
ઈસુ ચરણે પાપો મૂકું, તે કરશે પરિહાર;
તે સહુ હરણ કરીને લેશે, ઉતારશે મુજ ભાર.
ઈસુ ચરણે દોષ જ મૂકું, તે ધોશે મુજ ડાઘ;
તન, મન, શુદ્ધ કરીને આપે પુણ્ય તણો શુભ ભાગ.
ઈસુને મુજ દુ:ખ જણાવું, તે ગુણથી ભરપૂર;
મનના વ્યાધિ સર્વ મટાડે, નબળું કરશે દૂર.
ઈસુ પાસે શોક જણાવું, સહુ ચિંતાનો બોજ;
ફલેશ તણાં સહુ કારણ કાઢી મને નિભાવે રોજ.
ઈસુ જેવા થાવું મારે, પ્રેમી, નમ્ર, દયાળ;
ઈસુ જેવા થાવું મારે, પિતા તણો શુભ બાળ.