284

From Bhajan Sangrah
Revision as of 00:52, 9 August 2013 by 117.198.171.5 (talk) (Created page with "== ૨૮૪ - શ્રદ્ધાળુની હોંસ == {| |+૨૮૪ - શ્રદ્ધાળુની હોંસ |- | |ઝૂલણા વૃત |- | |કર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૮૪ - શ્રદ્ધાળુની હોંસ

૨૮૪ - શ્રદ્ધાળુની હોંસ
ઝૂલણા વૃત
કર્તા: થોમાભાઈ
પાથાભાઈ

૪. વિશ્વાસ અને ખાતરી

ટેક: જીવતો જો રહું, ખ્રિસ્ત કાજે રહું; જો મરું તો ઘણો લાભ માનું.
જીવવું ખ્રિસ્તના કામને કારણે, ખ્રિસ્તનું કામ છે હર્ખકારી;
ખ્રિસ્તને માનતો હું રહું સર્વદા, એ જ છે નિત્યનો નીમ ધારી. જીવતો.
જો મરું તો મને લાભકારી થશે, કેમ કે હું જઈ ખ્રિસ્ત પાસે,
નિત્યના જીવનો તાજ લેઈ ઘરું, સંતના સંગમાં સ્વર્ગવાસે. જીવતો.
સેવ કીધા પછી ઘોરમાં હું પડું તોય આનંદ છે એમ માનું;
કેમ કે ખ્રિસ્તમાં આશ મારી ઘણી, જીવતો રાખશે એમ જાણું. જીવતો.
મોતનો હું નથી ખ્રિસ્તનો છું સદા, ખ્રિસ્ત ઈસુ મને નિત્ય રક્ષે;
ઘોરથી ઊઠિયો હું તણો દેવ જે તે જ ઉઠાડતાં જીવ બક્ષે. જીવતો.
ખ્રિસ્ત ઈસુ કહે, "જીવતો હું સદા માટ જીવતાં તમે નિત્ય રહેશો;
હું રહું ત્યાં તમે વાસ સૌ પામશો ને સદા સ્વર્ગમાં ભાગ લેશો. " જીવતો.