243

From Bhajan Sangrah
Revision as of 16:10, 9 August 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૨૪૩ - પ્રભુ ઈસુનું તેડું== {| |+૨૪૩ - પ્રભુ ઈસુનું તેડું |- | |મંદાક્રાન્ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૪૩ - પ્રભુ ઈસુનું તેડું

૨૪૩ - પ્રભુ ઈસુનું તેડું
મંદાક્રાન્તા
કર્તા: સુરેન્દ્ર આસ્થાવાદી
શું સ્વામીની હ્રદય વીંઘતી હાંક આપે ન સુણી?
સંધું ત્યાગી કમર કસવા કાં મહેચ્છા ન ધારી?
"હું આવું છું," પ્રીતિ ઉત્તર એ આપનો દેવનો છે?
કે સ્વામીને હજી અવરને શોધવાનાં રહે છે?
લાખો લોકે કદી નહિ દીઠું સ્વર્ગી માન્ના રસાળું,
એવાંઓને અન્ન પીરસવા દિવ્ય તેડું તમારું;
પાપો કેરા દુ:ખથી કણતાં ચીસ પાડે હજારો,
ઢૂંઢે છે એ જન રઝળતાં, અંધકારે પ્રકાશો.
લાખો આંખે મરણનીંદની ઝાંખ ઘેરી વળી છે;
મોક્ષાર્થીની કરુણ ચીસને શું તમે સાંભળી છે?
શું આ દશ્યો નીરખી તમને ના દિલે ડંખ લાગે?
આજે ઊઠો, પછી પળ જશે, સ્વાર્પણો દેવ માગે.
ના પાડો તો પ્રભુ પ્રીતિ થકી, કો' રહેશે અજાણ્યું,
એ ગુનાનું તમ શિર પરે ઋણ ભારે થવાનું;
તો ઓ વહાલાં, જદ નહીં કરો આજ આધીન થાઓ,
ને સ્વામીની શુભ શુભ કથા નિર્વિલંબે પ્રસારો.