236

From Bhajan Sangrah
Revision as of 12:42, 5 August 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૨૩૬ - નોતરું== {| |+૨૩૬ - નોતરું |- | |ભુજંગી |- |કર્તા: |થોમાભાઈ પાથાભાઈ |- |૧ |...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૩૬ - નોતરું

૨૩૬ - નોતરું
ભુજંગી
કર્તા: થોમાભાઈ પાથાભાઈ
બીમારી અમારી ગઈ ખ્રિસ્તનાથી, મળ્યો છુટકારો મહા તાપમાંથી;
ઝરો ખ્રિસ્ત છે, જીવતું નીર વ્હે છે, પીધાથી બીમારી સદા દૂર રહે છે.
નથી આવતું દામ તેનું લીધામાં, દયાથી મળે, પાપીઓ, લ્યોપીધામાં;
બીમારી અમારી ગઈ તે પીધાથી, નીરોગી અમે સૌ થયાં એ કીધાથી.
વૃથા એ ઉપાયો બધા દૂર નાખો, નીરોગી થવા જીવતું નીર ચાખો;
મટે તૃષ્ણા એ પીધાથી તમારી, વિનંતી તમોને ઘણી છે અમારી,
વિચારો હ્રદે, કે'ણ માનો અમારું, ભલું તો થશે ખ્રિસ્તથી બહુ તમારું;
તમારા જીવો છે વિના નીર સૂકા, તમારા જીવો છે વિના ભક્ષ ભૂખા.
ઈસુ ખ્રિસ્ત છે એકલો તારનારો, ઈસુથી મળે પાપીને છુટકારો;
વસીલો થયો માનવીનો દયાથી, મળે છુટકારો સમીપે ગયાથી.