234

From Bhajan Sangrah
Revision as of 12:33, 5 August 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૨૩૪ - ત્રાણ કોણથી મળે?== {| |+૨૩૪ - ત્રાણ કોણથી મળે? |- | |માદરી |- |કર્તા: |થોમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૩૪ - ત્રાણ કોણથી મળે?

૨૩૪ - ત્રાણ કોણથી મળે?
માદરી
કર્તા: થોમાભાઈ પાથાભાઈ
ત્રાણ કોણથી મળે?
પાપ, શાપ હું તણાં બધાંય કોણથી બળે?
શાંતિ કોણથી વળે ? પાપ કોણથી ટળે?
મોત કાળ સ્વર્ગમાં પ્રવેશ કોણથી મળે?
ત્રાણ ખ્રિસ્તથી મળે,
પાપ, શાપ તું તણાં બધાંય ખ્રિસ્તથી ટળે;
શાંતિ જીવને વળે, પાપ વેદના ટલે,
મોત ઘાટ વીતતાં પ્રવેશ સ્વર્ગમાં મળે.
ખ્રિસ્ત ભાવ રાખજે,
દુષ્ટ ભાવ, દુષ્ટ દાવ, નિત્ય દૂર નાખજે;
ખ્રિસ્ત માન તાકજે, ખ્રિસ્ત વાત ભાખજે,
તો જ ખ્રિસ્ત તારશે, અનંત લાભ ચાખજે.