226

From Bhajan Sangrah
Revision as of 12:10, 5 August 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૨૨૬ - દીવારૂપ વચન== {| |+૨૨૬ - દીવારૂપ વચન |- | |હરિગીત છંદ |- | |(ગીતશાસ્ત્ર ૧...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૨૬ - દીવારૂપ વચન

૨૨૬ - દીવારૂપ વચન
હરિગીત છંદ
(ગીતશાસ્ત્ર ૧૧૯-૧૦૫)
કર્તા: સુરેન્દ્ર આસ્થાવાદી
વચનો પ્રભુનાં શાસ્ત્રમાં જે જે લખેલાં છે બધાં;
પૂરાં થયાં છે ને થવાનાં, ના થશે મિથ્યા કદા.
આશાભર્યા દિલના ઉમળકા એ જ વચનોથી ફળે;
બેચેન દિલડાંની બીમારી એ જ વચનોથી ટલે.
અંધારપંથે દીવડી એ જ્યોતથી ઝગમગ થતી;
કાળાશ કે તિમિરનું ત્યાં અલ્પબિંદુયે નથી;
મુજ ચરણ કાજે સર્વદા ઝગતાં રહી જ્યોતિ ધરે;
શુભ વચન દૈવી સર્વથા જલતાં રહી ચોકી કરે.
જે જે સ્થળે છે એ વચન ત્યાં ત્યાં કનિષ્ઠો ના રહે;
જે જે હ્રદયમાં એ વચન ત્યાં ત્યાં અનિષ્ટો ના રહે.
જીવન તણું સુકાન એ આગાહે દે ભય સ્થાનની,
સ્વર્ગી કનાને દોરીને શાંતિ આપે પ્રભુ-ધામની.