173

From Bhajan Sangrah
Revision as of 18:47, 1 August 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૭૩ - ઈસુનું સ્તવન== {| |+ |- | |નારાચ છંદ |- |કર્તા: |જે. વી. એસ/ ટેલર |- |૧ |સદાય ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૭૩ - ઈસુનું સ્તવન

નારાચ છંદ
કર્તા: જે. વી. એસ/ ટેલર
સદાય પાસ થા, મહા દયાળુ તારનાર તું,
સુદાસના વિવેકમાં વિજ્ઞામ લાવનાર તું;
અયોગ્ય ભાવ ઉરથી અલોપ તું કરાવજે,
વિચાર સર્વ શુદ્ધ જે હ્રદે વિષે ભરાવજે.
અમો મનુષ્ય જાત તો હતા પડેલ પાપમાં,
મહા પવિત્ર દેવના અપાર તપ્ત તાપમાં;
દયાળુ તું હતો અને અનુપ પ્રીતિ તેં કરી,
દયા ભરેલ દષ્ટિ તેં અમો ભણી કરી નરી.
પિતા તણા સમીપનો પ્રતાપ તેં તજી દીધો,
અશ્ય ભાર પાપનો પરાક્રમે શિરે લીધો;
તને સદાય જાણતાં અમો વખાણ આપીએ,
દિને દિને સુરીતિએ પવિત્ર માર્ગ કાપીએ.
અખંડ નેમ સ્વર્ગનો અત્યારથી પળાવજે,
પવિત્ર ચાલ સર્વદા સુભાવથી ચલાવજે;
દયાળુ દેવની કૃપા થયે ચલાય માર્ગમાં,
પ્રયાણ સર્વ પૂર્ણ તો નિરાંત થાય સ્વર્ગમાં.