171

From Bhajan Sangrah
Revision as of 18:25, 1 August 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૭૧ - ખ્રિતની અનુપમ પ્રીતિ== {| |+૧૭૧ - ખ્રિતની અનુપમ પ્રીતિ |- | |હરિગીત |- ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૭૧ - ખ્રિતની અનુપમ પ્રીતિ

૧૭૧ - ખ્રિતની અનુપમ પ્રીતિ
હરિગીત
કર્તા: દાનિયેલ ડાહ્યાભાઈ
હે ખ્રિસ્ત ત્રાતા, ત્રાણદાતા, વિશ્વવિધાતા ધણી,
હું અલ્પ પ્રાણી સ્તુતિ તારી શું કરું મુખથી ઘણી;
તું ત્રાણકારી, શોકહારી, શુખકારી છે પતિ,
પ્યારા પ્રભુ, પ્રેમાળ તારી પ્રીત ન્યારી છે અતિ.
છે નાથ તું જ અનાથનો, સહુ સૃષ્ટિ કેરો આશરો,
તું સર્વથી પરિશુદ્ધ છે, પરિપૂર્ણ પ્રીતિનો ઝરો;
જન કોઈ પણ નહિ પામશે તવ પાર પ્રીતિનો રતિ,
પ્યારા પ્રભુ, પ્રેમાળ તારી પ્રીત ન્યારી છે અતિ.
તેં છેક છેલ્લે પ્રાણ તારો અમ કાજ તો અર્પી દીધો,
સ્વીકાર એ સહુ દુ:ખનો અમ પાપીઓ માટે કીધો;
એ શ્રેષ્ટ પ્રેમાભાર તવ ભૂલીશ નહિ મમ દિલથી,
પ્યારા પ્રભુ, પ્રેમાળ તારી, પ્રીત ન્યારી છે અતિ.
શાંત્યાસ્પદ તવ પ્રીત છે, નહિ તૂટશે, રજ ખૂટશે;
તે પ્રીત જે જન પામશેમ, દુ:ખ વામશે, સ્વર્ગે જશે;
ગુલતાનમાં દિન ગાળશે, દુ:ખ ભાળશે નહિ ત્યાં રતિ,
પ્યારા પ્રભુ, પ્રેમાળ તારી પ્રીત ન્યારી છે અતિ.