140

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૧૪૦ - ખ્રિસ્તનું પુનરાગમન

૧૪૦ - ખ્રિસ્તનું પુનરાગમન
ઝૂલણા વૃત્ત
કર્તા : એલિશા ઈ.શાસ્ત્રી
ટેક: ખ્રિસ્ત તો આવશે વાર નહિ લાગશે, ભેટવા વાટ જો ભ્રાત મારા.
હોય નિશા ઘણી ઘોર બિહામણી, આવતાં ભાણને ભોમ પાસે;
એમ સૌ ભ્રષ્ટતા ચાલતી હાલની, જાણીને જાગવું દેવદાસે.
જિંદગી જાય વેગથી આપણી , લાગ છે સેવનો એટલામાં,
કાળને કામમાં લાવવા ભૂલ મા, દિલથી ખ્રિસ્તની રાહ જોતાં,
શાસ્ત્રમાં વાંચતાં નીરખો વાક્યને, કોલ આપે પ્રભુ આવવાનો;
કેમ કે લોક મારા બધા ત્યાં રહે, જ્યાં રહું આપ ત્યાં મુજ દાસો.
આભમાં ફૂંકશે દૂત રણશિંગડું, જાગશે સંત સૌ તે જ વારે;
દોડશે હર્ષથી ભેટવા નાથને, સૌ મૂઆ જીવતા એક હારે.
તે સમે વિપત્તિ લોકને બહુ થશે, જે કદી ન થઈ, ન થવાની;
કાળ બિહામણો લાગશે તે સમે, દુ:ખ ને મારથી થાય હાનિ.
બુદ્ધિ ને ન્યાયથી ચાલવું આ જગે, ગળવી ભક્તિમાં જિંદગાની,
તો પછી ખ્રિસ્તને ભેટતાં ભાવથી બીક તો લેશ નહિ લાગવાની.

Phonetic English

૧૪૦ - ખ્રિસ્તનું પુનરાગમન
ઝૂલણા વૃત્ત
કર્તા : એલિશા ઈ.શાસ્ત્રી
ટેક: ખ્રિસ્ત તો આવશે વાર નહિ લાગશે, ભેટવા વાટ જો ભ્રાત મારા.
હોય નિશા ઘણી ઘોર બિહામણી, આવતાં ભાણને ભોમ પાસે;
એમ સૌ ભ્રષ્ટતા ચાલતી હાલની, જાણીને જાગવું દેવદાસે.
જિંદગી જાય વેગથી આપણી , લાગ છે સેવનો એટલામાં,
કાળને કામમાં લાવવા ભૂલ મા, દિલથી ખ્રિસ્તની રાહ જોતાં,
શાસ્ત્રમાં વાંચતાં નીરખો વાક્યને, કોલ આપે પ્રભુ આવવાનો;
કેમ કે લોક મારા બધા ત્યાં રહે, જ્યાં રહું આપ ત્યાં મુજ દાસો.
આભમાં ફૂંકશે દૂત રણશિંગડું, જાગશે સંત સૌ તે જ વારે;
દોડશે હર્ષથી ભેટવા નાથને, સૌ મૂઆ જીવતા એક હારે.
તે સમે વિપત્તિ લોકને બહુ થશે, જે કદી ન થઈ, ન થવાની;
કાળ બિહામણો લાગશે તે સમે, દુ:ખ ને મારથી થાય હાનિ.
બુદ્ધિ ને ન્યાયથી ચાલવું આ જગે, ગળવી ભક્તિમાં જિંદગાની,
તો પછી ખ્રિસ્તને ભેટતાં ભાવથી બીક તો લેશ નહિ લાગવાની.