૧૩૬ - આકાશગમન કેમ થયું એ અદૂભુત ધટના સાંભળો

૧૩૬ - આકાશગમન કેમ થયું એ અદૂભુત ધટના સાંભળો
ગુરુ શિષ્ય મળ્યા છે સંઘાતે,
ગુરુ તણી વિદાયગીરી માટે,
એક ઊંચા પહાડ પર એકાંતે.
આકાશગમન!
ગુરુ દર્શન દઈ સંશય ટાળ્યા,
ગુરુ આશિષ દઈ ઉત્તર વાળ્યા,
સહુ શિષ્યોએ નજરે ભાળ્યા.
આકાશગમન!
ગુરુ સ્વર્ગ ઉપર લઈ લેવાયા,
ગુરુ આંખ થકી અદશ્ય થયા,
સહુ શિષ્યો બિચારા તાકી રહ્યા.
આકાશગમન!
એક દૂત કહે, શું તાકી રહ્યા?
એ દુરુ ગગનની પાર ગયા!
તવ ગગનમાં જયકાર થયા.
આકાશગમન!